22 એપ્રિલથી 30 ઓક્ટોબર સુધી ગુરુ ચાંડલ યોગનો પ્રભાવ આ 5 રાશિઓના જાતકોએ વિશેષ રુપથી સાવધાન રહેવું પડશે

22 april thi start thato guru chandal yog aa 5 rasi na loko dhayn rakhe
Advertisement

આ વર્ષે 22 એપ્રિલથી મેષ રાશિમાં ગુરુ ચાંડાલ યોગ બની રહ્યો છે. હાલ પાપી ગ્રહ રાહુ મેષ રાશિમાં છે અને 22 એપ્રિલે દેવગુરુ બૃહસ્પતિ પણ મેષ રાશિમાં ગોચર કરશે. મેષ રાશિમાં ગુરુ અને રાહુની યુતિથી ગુરુ ચાંડાલ યોગ બનશે, જે ચાર માસ સુધી રહેશે, 30 ઓક્ટોબરના રોજ રાહુ મેષ રાશિમાંથી નીકળી મીન રાશિમાં ગોચર કરશે. ત્યારે મેષ રાશિમાં ગુરુ અને રાહુની યુતિ ખતમ થઇ જશે અને ગુરુ ચાંડાલ યોગ પણ સમાપ્ત થઇ જશે. 22 એપ્રિલથી 30 ઓક્ટોબર સુધી ગુરુ ચાંડલ યોગનો પ્રભાવ પણ તમામ 12 રાશિઓ પર થશે, પરંતુ 5 રાશિઓના જાતકોએ વિશેષ રુપથી સાવધાન રહેવું પડશે.

1 મેષ રાશિઓના જાતકો:

તમારી રાશિમાં ગુરુ ચાંડાલ યોગ બની રહ્યો છે. આ કારણે તમારે આગામી 6 મહિના સુધી તમારી આર્થિક સ્થિતિ, રોકાણ, સ્વાસ્થ્ય અને વ્યવસાય વિશે સાવચેત રહેવું પડશે. અશુભ ગ્રહ રાહુના કારણે તમને વેપારમાં નુકસાન અથવા રોકાણમાં નુકસાન થઈ શકે છે.

આ કારણોસર, તમારે કાળજીપૂર્વક રોકાણ કરવું જોઈએ. આ સમય દરમિયાન તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. એકંદરે, તમારા પૈસા કાળજીપૂર્વક ખર્ચો અને તમારા આહારને નિયંત્રિત કરીને યોગ કરો.

Advertisement

2. મિથુન રાશિઓના જાતકો:

ગુરુ ચાંડાલ યોગ તમારી રાશિના લોકો માટે સાવધાન રહેવાનો છે. આગામી 6 મહિનામાં તમારે તમારા પૈસા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. વેપાર અથવા રોકાણ સંબંધિત નિર્ણયોમાં ઉતાવળ ધનહાનિનું કારણ બની શકે છે.

નોકરી કરતા લોકોએ પણ સંયમથી કામ લેવું પડશે કારણ કે તમારા માટે મુશ્કેલ સમય આવી શકે છે. જો તમે તાત્કાલિક લાભને બદલે લાંબા ગાળાના પરિણામોનો વિચાર કરીને નિર્ણયો લો છો, તો તમે સફળ થશો. વાણી પર સંયમ રાખો જેથી વાદ-વિવાદની સ્થિતિ ટાળવી.

3. કન્યા રાશિઓના જાતકો:

ગુરુ ચાંડાલ યોગના કારણે તમારી આર્થિક સ્થિતિ આગામી 6 મહિના સુધી નબળી પડી શકે છે. ઓછી આવક અને ઉચાપતના કારણે પરેશાની થશે. લોન લેવાની સ્થિતિ આવી શકે છે.

આ દરમિયાન કામ અટકશે તો મન ઉદાસ રહેશે. મકાન, વાહન કે અન્ય કોઈ મિલકત ખરીદતી વખતે સાવધાની રાખવાની જરૂર છે. પારિવારિક સુખ-શાંતિમાં અડચણ આવશે. કાર્યસ્થળ અને ઘરમાં વિવાદ મનને બેચેન બનાવી શકે છે. તણાવથી બચવા માટે યોગ કે પ્રાણાયામ કરો.

4. ધન રાશિઓના જાતકો:

ગુરુ ચાંડાલ યોગ તમારી રાશિના જાતકો માટે નકારાત્મક પરિણામો આપી શકે છે. નોકરી કરતા લોકોને તેમના બોસ સાથે તાલમેલ જાળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયમાં તમે તમારા કામમાં ધ્યાન આપશો તો સારું રહેશે.

વેપાર કરતા લોકોને નુકસાન થવાની સંભાવના છે. આ સમય દરમિયાન મોટું રોકાણ કરવાનું ટાળો. આ સમયમાં આર્થિક સ્થિતિ બગડી શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો નહીંતર અકસ્માત થઈ શકે છે.

5. મકર રાશિઓના જાતકો:

ગુરુ ચાંડાલ યોગના કારણે ઘરમાં વાદ-વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે. વિવાહિત જીવન પ્રભાવિત થઈ શકે છે. જો કે, તમારા જીવનસાથી સાથે વાદ-વિવાદની સ્થિતિ ન બને તેનું ધ્યાન રાખવું. આ મુદ્દો ઉઠાવવાથી સ્થિતિ બગડી શકે છે. આવી સ્થિતિમાં કેટલીક બાબતોને નજરઅંદાજ પણ કરી શકાય છે.

એપ્રિલથી ઓક્ટોબર સુધીનો સમય તમારા માટે મુશ્કેલ હોઈ શકે છે. તમારે તમારી કારકિર્દીમાં સફળતા માટે સખત મહેનત કરવી પડશે, પરંતુ તમે પરિણામથી સંતુષ્ટ થશો નહીં. ખાલી ફોકટના ખર્ચ પર પર નિયંત્રણ રાખવું પડશે.

Advertisement